રોજ સળગે શ્વાસ લેતી ખાણ મુનિવર,
ભાગ્યનું કેવું કર્યું છે ધાણ મુનિવર !
સત્ય સામેથી ઉભું છે કોટડીમાં,
શું હશે અજરોઅમર એંધાણ મુનિવર.
જે તરી આવ્યા તમે એ પટનું છે છળ,
સાચું તરણું દ્વૈતનું ઊંડાણ મુનિવર.
એ અવસ્થા પામું છું કાયમની માટે,
મારી અંદર જીવે છે સંજાણ મુનિવર.
નિત સળગવાનું મળ્યું વરદાન અમને,
નિત રહ્યું છે કાષ્ઠનું ખેંચાણ મુનિવર.
શર્મમાં સંતો ન ઉચ્ચારે પરંતુ,
થઇ ગયું છે ધર્મનું ભેલાણ મુનિવર.
-કૌશિક પરમાર 'ઉસ્તાદ'
©kaushik Parmar 'ustad'
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here